23:1યહોવાહ મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
2તે મને લીલાં ઘાસમાં સુવાડે છે
તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
3તે મારા આત્માને તાજગી આપે છે;
પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું,
તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો;
તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.
5તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો
તમે મારા માથા પર તેલ રેડ્યું છે;
મારો પ્યાલો છલકાઈ જાય છે.
6નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન ભલાઈ તથા દયા મારી સાથે આવશે;
અને હું સદા સર્વકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.
પગલું 2: વાર્તા ફરીથી કહો
કહાણીને તમારા પોતાના શબ્દોમાં ફરીથી કહેવા માટે થોડો સમય લો. તમે તેને ઉંચે બોલવા અથવા લખવા માંગશો. જો તમને તે યાદ કરવામાં મુશ્કેલી પડે, તો તેને ફરીથી વાંચો અથવા સાંભળો.
પગલું ૩: વાર્તા શોધો
જ્યારે તમને લાગે કે તમે વાર્તા સાથે પરિચિત છો, ત્યારે નીચેના પ્રશ્નો પર વિચાર કરવા અથવા ચર્ચા કરવા માટે થોડો સમય લો.
આ વાર્તા તમને ભગવાન વિશે શું કહે છે?
આ વાર્તા તમને લોકો વિશે શું કહે છે?
જો આ ખરેખર ભગવાનનું શબ્દ છે, તો તમારે તમારા જીવનમાં કયા ફેરફારો કરવા પડશે?
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License.